વાલીયા પ્રભાત સહકારી જીન અનિશ્ચિત સમય માટે વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે જણાવ્યું:- સંજયસિંહ મહિડાએ
વાલીયા પ્રભાત સહકારી જીન અનિશ્ચિત સમય માટે વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે જણાવ્યું:- સંજયસિંહ મહિડાએ

જ્યારે ચાલું કરવામાં આવશે ત્યારે જાણ કરીશું.
Advertisements
વાલિયા: વાલીયા પ્રભાત સહકારી જીન ના મેનેજર શ્રી સંજયસિંહ મહિડા એક અખબારી નિવેદનમા જણાવે છે કે કોરોના વાઈરસ ના દેશમાં લોકડાઉન ની પરિસ્થિતિ ને લીધે છેલ્લા પચ્ચીસ દિવસ થી કપાસ ખરીદી બંધ હતી. વાલીયા પ્રભાત જીન મા 13/11/2019થી વાલીયા મા ઓટોમેટીક પ્લાન્ટ હોવા થી એપીએમસી ના સંયુક્ત પ્રયાસ થી સીસીઆઇ સેન્ટર દ્વારા ભરૂચ જિલ્લાના કોઈ પણ ખેડૂત આ સીસીઆઇ મા પોતાનો ઉત્પાદન કરેલ કપાસ વેંચાણ કરી શકે છે આ પ્રભાત સહકારી જીન મા આ સીસીઆઇ સેન્ટર મા તા 13/11/2019 સુધી થી ખરીદી શરૂ કરતા અંદાજીત છાસઠ હજાર કિવન્ટલ કપાસ ની ખરીદી ખેડૂતો ની કરવામાં આવી છે વાલીયા જીન ના સહકારી સંસ્થા ના બોડઁ પ્રમુખ શ્રી રાકેશકુમાર સાયણીયા તથા ઉપ પ્રમુખ ભારતેન્દ્રસિંહ વાસંદીયા ના સરાહનીય કામગીરી થી ખેડૂતો ને ચાલુ સાલે સરકાર શ્રી ના ટેકા ના ભાવે ખરીદી કરવામા આવી રહેલ છે હાલમાં દેશમાં મહામારી ના કારણે જીપ પણ લોકડાઉન હોય ખેડૂતો ના ઘરોમાં કપાસ ની આવક હોવાથી ખેડૂતો ની જીનમા મેનેજર સંજયસિંહ મહિડા તથા પ્રમુખ ને ખેડૂતો દ્વારા ફોન થી કપાસ ની ખરીદી ક્યારે શરૂ થશે જેથી ખેડૂતો ને મુશ્કેલી ન પડે એ કારણે તા 17/04/2020,વાલીયા ના થોડા ગામો 18/04/2020 ના દિને થોડા ગામો તથા 20/04/2020 સોમવારે થોડા ગામો ની ખબર આપી આજરોજ કપાસ ખરીદી શરૂ કરેલ હતી આજે લગભગ બે હજાર કિવન્ટલ કપાસ ની ખરીદી પણ કરવા મા આવી હતી જે મા સંસ્થા દ્વારા સેનેટાઈઝર તથા સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરવા નુ રાખી સરકાર શ્રી ના કાયદા નુ પણ પાલન કરવા મા આવ્યુ હતુ હાલમાં હાલની વાલીયા ની પરીસ્થિતી ને ધ્યાન માં લઇ ને હાલ પુરતું કપાસ લેવાનું બંધ કરવામાં આવેલ છે.
જ્યારે ચાલું કરવામાં આવશે ત્યારે જાણ કરીશું. એવુ જીન ના મેનેજર સંજયસિંહ મહિડા દ્વારા જણાવવા મા આવે છે..
તકલીફ બદલ માફ કરશો 🙏
રીપોર્ટ: દિલિપસિંહ મહિડા, સોડગામ, વાલિયા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment