રાજપીપળાના પત્રકાર દંપતીએ પોતાની 31મી એનિવર્સરી એ સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી રક્તદાતા દંપતીનું રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને ટ્રસ્ટીઓ દ્વારા સન્માન પત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરાયું. રક્તની જરૂરિયાતમંદો માટે પત્રકાર દંપતી અને અન્ય રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. રાજપીપળા: ૩૦મી મેના રોજ રાજપીપળાના જાણીતા પત્રકાર અને લેખક દીપક જગતાપ અને જ્યોતિ જગતાપ દંપતીએ પોતાની 31 મી એનિવર્સરી સતત સાતમી વાર સજોડે રક્તદાન કરી અનોખી એનિવર્સરી ઉજવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્તદાન કરવાની અપીલ ને સ્વીકારી દરેક લગ્નતિથિએ સજોડે રક્તદાન કરવા નો સંપર્ક સંકલ્પ કરી 30 મી મે ના રોજ રક્તદાન કરવાનું શરૂ કર્યું છે. આજે દીપકભાઈ જ્યોતિબેનની 31 મી એનિવર્સરી એ જાતે બ્લડ બેંક પર પહોંચીને રક્તદાન કર્યું હતું.આ વર્ષે બંને બીજીવાર સાથે રક્તદાન કર્યું હતું આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.બી મહિડા, ગાયત્રી પરિવારના ટ્રસ્ટી ભરતભાઇ વ્યાસ રેડક્રોસ મંત્રી રાણાસાહેબ, ટ્રસ્ટી ડો. કિરણસિંહ જાદવ સહીત ટ્રસ્ટીઓએ બંને પત્રકાર ...