Posts

Showing posts from March, 2020

નિઝામુદ્દીનના મરકજ / મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી

Image
નિઝામુદ્દીનના મરકજ /   મરકજમાં ભાગ લેનાર હજારો લોકોની શોધખોળ માટે અભિયાન શરૂ; યુપીમાં 95% ટ્રેસ, એમપીમાં 11 ક્વારેન્ટાઈન, રાજસ્થાનમાંથી યાદી મંગાવી નવી દિલ્હીઃ  નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં 24 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ હવે અહી આવનાર હજારોની સંખ્યામાં લોકોએ તપાસ અને આઈસોલેટ કરવાનું એક વ્યાપક અભિયાન શરૂ થયું છે, અહીં યોજાયેલા ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. યુપીથી મરકજ જનારા 157 લોકો પૈકી 95 ટકાને ટ્રેસ કરવામાં આવ્યા છે. રાજસ્થાને પણ આવા લોકોની યાદી મંગાવી છે, જે મરકજમાં સામેલ હતા. જોકે, રાજ્ય સરકાર પાસે હજુ આ જાણકારી નથી કે કેટલા લોકો અહીંથી મરકજ ગયા હતા. Advertisements   ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું-21 માર્ચ સુધી હજરત નિઝામુદ્દીન મરકજમાં આશરે 1,746 લોકો રોકાયા હતા. આ પૈકી 216 વિદેશી અને 1530 ભારતીય હતા. મરકજના કાર્યક્રમ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશી 21 માર્ચ સુધી તબ્લીગીની પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રાજ્ય પોલીસે દેશના વિવિધ ભાગોમાં 824 વિદેશીઓની જાણકારી આપવામાં આવી છે, જેથી તેમની મેડિકલ સ્ક્રીનિંગ અને ક્વારેન્ટાઈનમાં મોકલવામાં આ...

જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ.

Image
જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ .  Ⓜ️જાહેર જનતાની સુરક્ષા માટે નર્મદા જિલ્લા પોલીસ વડાએ કરી જાહેર અપીલ.  Ⓜ️જાહેરનામાં બહાર પાડેલા હોય તે જાહેરનામાં ભંગ ન કરવા અને ઘરે રહી સુરક્ષિત રહેવા અપીલ કરાઈ.  Ⓜ️ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરાથી પોલીસે નજર રાખી રહી છે જાહેરના નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.  Advertisements   રાજપીપળા: નર્મદા જિલ્લામાં હજી એક પણ પૂરું આનો પોઝિટિવ કેસ થયો નથી અને હાલ કોરોના સંક્રમણનો ભય વધ્યો છે ત્યારે લોકો માટે બિનજરૂરી બહાર ન નીકળવા તથા જાહેરનામાનો ભંગ ન કરવા અને પોલીસ તંત્રને સહકાર આપે લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ જાહેર જનતાને જાહેર અપીલ કરી છે.   હિંમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાના જણાવ્યા અનુસાર હાલ ચાલી રહેલ કોરોના વાયરસને અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન અનુસંધાને જાહેર જનતાની સુરક્ષા માટે જાહેરનામાં બહાર પાડેલ હોય તે જાહેરનામાનો ભંગ બદલ તથા લોકોમાં જાગૃતતા લાવવા સારું જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે સારું અપીલ કરી છે. છતાં ઘણા ખરા ઈસમો પોતા...

BREAKING NEWSભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું

Image
BREAKING NEWS   ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું ફાઇલ તસવીર   ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓ.પી.ડી.લેવાનું બંધ કરાયું... Advertisements   માત્ર ઇમરજન્સી કેસ જ લેવામાં આવશે. કોરોના વાયરસની પરિસ્થિતિના પગલે અન્ય દર્દીઓને ઇન્ફેક્શન ન લાગે એ માટે આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અનુસાર લેવાયો નિર્ણય... દવા લેવા આવતા દર્દીઓ પરેશાન.... B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10 રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું.

Image
રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10  રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું.  Ⓜ️રાજપીપળામાં સખી મંડળની બહેનોએ સસ્તા અને સારા માસ્ક બનાવ્યા. Ⓜ️ રાજપીપળા નગરપાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખીમંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત 10  રૂપિયામાં વેચાણ ચાલુ કર્યું . Advertisements   રાજપીપળા: કોરોના મહામારી વચ્ચે હાલ ઘણા સમસ્યા થી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોઢા પર બાંધવાના માસ્કની અછત હોવા ઉપરાંત કેટલીક દુકાનો પર ભાવમાં લૂંટ ચાલતી હોવાની પણ બુમ ઉઠી હતી જોકે સરકારી હોસ્પિટલોમાં પણ હાલમાં જ નથી તેવી હાલત છે ત્યારે લોકો હાથ રૂમાલ કે અન્ય કપડું બાંધી ફરતા નજરે પડે છે તેમ તેવામાં રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે પાલિકા હસ્તક ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ માસ્ક  બનાવવા બાબતે સૂચના આપતા આ યોજના હેઠળ કામ કરતી સખીમંડળની ૧૫ જેટલી બહેનોએ બીડું ઝડપી સારી ગુણવત્તાના માસ્ક બનાવવાની શરૂઆત કરી છે.   જે ફક્ત 10 રૂપિયામાં એક માસ્કના ભાવે વેચાણ કરી ...
Image
કોરોના વાઈરસના લોકડાઉનના કારણે રોજેરોજની   કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોરોના વાઈરસના લોકડાઉનના કારણે રોજેરોજની   કમાણી કરી પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો Advertisements   ભરૂચ: કોરોના વાઈરસના લોકડાઉન ના કારણે રોજેરોજની કમાણી કરી  પેટીયું રડી ખાનારા મજુર વર્ગની વ્હારે વાલિયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો  સેવન્તુભાઈ વસાવા, યોગેન્દ્રસિંહ મહિડા, ચંદનભાઈ વસાવા તથા જિલ્લા આગેવાન એવા મારૂતીસિંહ અટોદરીયા ની સાથે વાલીયા તાલુકા અનેક ભાજપના કાર્યકરોએ જોડાય ને તાલુકા ના હોલાકોતર, નિકોલ, રામપરા ભમાડીયા ગામોમાં 400 થી વધુ અનાજની કીટો નું વિતરણ કરી છેવાડાના ગામોના આદીવાસીઓનો સહારો બનવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના  કાર્યકરો આ કીટ વિતરણમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. રીપોર્ટ: દિલિપ સિંહ મહિડા B B K NEWS #manishkansara OWNER Manish Kansara 6352918965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

મનકી બાત / મોદીએ કહ્યું- લોકડાઉનના લીધે થયેલી પરેશાનીઓ બદલ ક્ષમા માંગુ છું, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો

Image
મનકી બાત /  મોદીએ કહ્યું- લોકડાઉનના લીધે થયેલી પરેશાનીઓ બદલ ક્ષમા માંગુ છું, સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સિંગ ઘટાડો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 63મી એડીશન છે. મોદીએ કહ્યું- સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. તમામની હું માંફી માંગુ છું. હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. કોઈને આમ કરવાનું મન થતું નથી, પરંતુ મારે તમારા પરિવારને સુરક્ષિત રાખવાનો છે. આ કારણે બીજી વખત માંફી માંગુ છું. Advertisements   મનકી બાતના મુખ્ય પોઇન્ટ ધૈર્ય દેખાડો, લોકડાઉનનું પાલન કરો વડાપ્રધાને કહ્યું કે આપણે ત્યાં કહેવાય છે કે બીમારી પહેલા તેના ઉપાય કરવા જોઇએ. કોરોના માણસને ખતમ કરવાની જીદ્દ પર છે. તેથી સૌ કોઇને એકજૂટ થઇને લોકડાઉનનું પાલન કરવાનો સંકલ્પ લેવો પડશે. લોકડાઉનમાં ...

કોરોના અપડેટ / વર્લ્ડ:વિશ્વભરમાં 30 હજાર લોકોના જીવ ગયા, માત્ર યુરોપમાં 20 હજારના મોત; કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોની પત્ની સાજી થઈ ગઈ

Image
કોરોના અપડેટ / વર્લ્ડ:વિશ્વભરમાં 30 હજાર લોકોના જીવ ગયા, માત્ર યુરોપમાં 20 હજારના મોત; કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોની પત્ની સાજી થઈ ગઈ   આંતરરાષ્ટ્રીય: વિશ્વના મોટા ભાગના દેશો આજે કોરોના વાઈરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ 6 લાખ 63 હજાર 740 થઈ ગયા છે. જ્યારે મૃત્યુઆંક 30 હજાર 879 થઈ ગયો છે. એક લાખ 42 હજાર 183 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 23 હજાર 750 એ પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2227 થઈ ગયો છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ એક લાખે પહોંચવા આવ્યા છે, જ્યારે અહીં મૃત્યુઆંક 10 હજાર પાર પહોંચી ગયો છે. વાઈરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો. Advertisements   ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન નહીં કરાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન કરવામા આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાઈરસન...

કોરોના અપડેટ / અત્યાર સુધીમાં 1029 કેસ: મધ્યપ્રદેશમાં આજે 5 સંક્રમિત મળ્યા; ઈરાનથી 275 ભારતીયોને લઈને વિમાન જોધપુર પહોંચ્યું

Image
કોરોના અપડેટ / અત્યાર સુધીમાં 1029 કેસ: મધ્યપ્રદેશમાં આજે 5 સંક્રમિત મળ્યા; ઈરાનથી 275 ભારતીયોને લઈને વિમાન જોધપુર પહોંચ્યું નવી દિલ્હીઃ   સમગ્ર દેશમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 1029 કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મધ્યપ્રદેશમાં 5 નવા કેસ (4 ઈન્દોર, 1 ઉજ્જૈન) હોવાની વિગતો બહાર આવી છે.  Advertisements   ઈન્દોરમાં સંક્રમિત મળેલા ચાર દર્દીઓ પુરુષ છે અને તેમની ઉંમર 40 વર્ષ, 48 વર્ષ, 38 વર્ષ અને 21 વર્ષ છે. જ્યારે ઉજ્જૈનમાં 17 વર્ષની એક છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 39 થઈ ગઈ છે. જોકે આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં સંક્રમિતોની સંખ્યા 918 છે, જેમાંથી 819 એક્ટિવ દર્દી છે. શનિવારે કોરોના સંક્રમણના દેશમાં 179 નવા કેસ આવ્યા છે. ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, આ દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે 151 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.       આ દરમિયાન આજે ઈરાનમાંથી 275 ભારતીયોને લઈને વિશેષ વિમાન રવિવાર સવારે રાજસ્થાનના જોધપુર...

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Image
જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે ગુજરાત / અમદાવાદ:  વિશ્વ ભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાઇરસનાથી લોકો ડરી રહ્યા છે. તો  કેટલાક ટિખળખોરો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયા અને ફોટા પોસ્ટ કરીને ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાથી આવા લોકો સામે પોલીસ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરશે. એક તરફ જીવલેણ કોરાના વાઇરસે ગુજરાત સહિત દેશને બાનમાં લઇ લીધો છે  તો બીજીતરફ લોકડાઉનના કારણે લોકો ઘરમાં બહાર નીકળવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં લોકો ઘરે બેસીન રાત દિવસ  વોટ્સએપ અને ફેસબુક  સહિત  સોશિયલ મિડિયા જોઇને સમય પસાર કરી રહ્યા છે. Advertisements     કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયો તથા ફોટા સહિતની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેથી આવા કૃત્યો અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ થતા લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે ગુનો નોધવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું.  સોશિયલ મિડિયા પર આવા મેસેજ પાસ કરવ...

ગુજરાત / લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે: DGPની ચીમકી

Image
ગુજરાત /  લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે: DGPની ચીમકી ગાંધીનગર:  કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. Advertisements   યુવાનો નો ઈતિહાસ ગુનાહિત ગણાશે રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે “ઘરે રહો, સુરક્ષિત રહો”ના મંત્રને અનુસરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન રાજ્યના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા ન નીકળે, લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુવાનોની સામે જો ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. આવા યુવાનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સ...