સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

આ તસ્વીર કોલકાતાની છે. અહીં અમ્ફાનથી જાનમાલનું નુકસાન થયું છે
               
                           કોલકાતા: પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બુધવારે તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાન ધીમું પડી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વિતેલા છ કલાકમાં તે 27 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધ્યું હતું. આગામી ત્રણ કલાકમાં તે વધુ નબળું પડે તેવી સંભાવના છે. આસામ, મેઘાલયમાં આજે 30થી 50 કિમીની ઝડપથી પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લીધે બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો.
મ્ફાનના કારણે ઓરિસ્સામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા મુજબ રાજ્યમાં 12 લોકોના મોતનું અનુમાન છે. 5500 ઘરોને નુકસાન થયું છે. મમતાના મતે વાવાઝોડાથી હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયુંછે. સાચા આંકડા માટે 3-4 દિવસ લાગી શકે છે.



ભારે વરસાદના કારણે કોલકાતાના ઘણા વિસ્તારમાં પાણી ભરાયા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે બંગાળના વાવાઝોડાની તસવીર જોઈ. સમગ્ર દેશ મજબૂતી સાથે બંગાળ સાથે ઊભો છે.રાજ્યના લોકોની સલામતીની પ્રાર્થના કરું છું. અસરગ્રસ્તોની મદદમાં કોઈ કસર બાકી નહીં રખાય.

કોલકાતા એરપોર્ટના રનવે પર પાણી ભરાયા
વાવાઝોડાએ એરપોર્ટ ઉપર ભારે તારાજી સર્જી છે. એરપોર્ટ ઉપર ચારેય બાજુએ પાણી ભરાઈ ગયા છે. આ એરપોર્ટ ઉપર પેસેન્જર્સ ફ્લાઈટ્સ 25 માર્ચથી રદ્દ કરાઈ છે. માત્ર કાર્ગો અને વંદે ભારત મિશનની ફ્લાઈટ્સ આવી રહી હતી. તેને પણ હાલ રોકી દેવાઈ છે.

6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા
વાવાઝોડું બુધવાર બપોર પછી કોલકાતા પહોંચ્યું હતું. સાંજે સાડા સાત વાાગ્યા પછી પવનની ઝડપ ધીમી પડી હતી. પાંચ કલાકમાં વાવાઝાડાએ તબાહી મચાવી દીધી હતી. વાવાઝોડા પહેલા 6.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. બંગાળમાં 5 લાખ લોકોને અને ઓરિસ્સામાં 1.60 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વાવાઝોડાના માર્ગ અને સમયનું સાચું આકલન કરવાથી રેસ્ક્યુ ટીમને મદદ મળી




ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

ભુવનેશ્વર/કોલકાતા: અમ્ફાન વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તે બપોર પછી સુંદરવન પાસે (પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે) 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝટપથી અથડાશે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ આપ્યું છે. આ 21 વર્ષ પછી સૌથી ઝડપી તોફાન છે.સાંજે 4 વાગ્યે સુંદરવન પાસે અથડાશે.185 કિમીની ઝડપથી પવન ફૂંકાશે. કોલકતા એરપોર્ટ આવતીકાલ સવા રના 5 વાગ્યા સુધી બંધ કરાયું છે.

ચક્રવાત અમફાન બાંગ્લાદેશ દરિયાકાંઠે અથડાતાં સાત લોકોનાં મોત

રિસ્સામાં 100થી વધારે વૃક્ષો ધરાશાયી, બેના મોત
ઓરિસ્સામાં 100 વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. બેના મોત થયા છે, જેમાં ભદ્રકમાં એક બાળકનું અને કેન્દ્રપારામાં એક મહિલાનું મોત થયું છે. ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ટેલિકોમના માળખામાં ભારે નુકસાનના અહેવાલો છે.
#######

ઢાંકા:[બાંગ્લાદેશ], 21 મે (એએનઆઈ): ચક્રવાત એમ્ફ્ને બુધવારે ભારત અને બાંગ્લાદેશના દરિયાકિનારે ભૂકંપ કર્યો હોવાથી ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા, ઢાંકા ટ્રિબ્યુન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.
 મૃતકો બર્ગુણા, સાતખિરા, પીરોજપુર, ભોલા અને પટુઆખલીના હતા.
 ચક્રવાત એમ્ફ્ને બુધવારે સાંજે 30.30pm થી 05.30pmની વચ્ચે સુંદરબેન વચ્ચે બાંગ્લાદેશની દિઘા અને હાટિયા આઇલેન્ડ્સ વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકિનારો પાર કર્યો હતો.
 ઢાંકા ટ્રિબ્યુનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કલાપરા તાલુકા નિરબાહી અધિકારી અબુ હસનાતે પુષ્ટિ કરી હતી કે, કલાપરા તાલુકામાં નહેરમાં નાવની સાથે લપેટાઇ જતા લાશ ગુમ થયાના નવ કલાક પછી ચક્રવાત તૈયારી કાર્યક્રમ (સીપીપી) નેતા શાહ આલમનો મૃતદેહ મળી આવ્યો હતો.
 ચક્રવાતને કારણે થયેલા નુકસાન પર નજર રાખવા માટે જિલ્લાના અધિકારીઓએ 10 કંટ્રોલ રૂમ ખોલ્યા છે.
 સિવિલ સર્જન કચેરી દ્વારા કોઈપણ તબીબી કટોકટીની કાર્યવાહી માટે કુલ 325 મેડિકલ ટીમો બનાવવામાં આવી છે.
 સાયક્લોન અમ્ફાન દોડમાં લગભગ 10 મિલિયન લોકોને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતર કરાયા હતા.
 ઢાંકા ટ્રિબ્યુને જણાવ્યું છે કે, દેશના તમામ મોટા સમુદ્રી બંદરોને ભયંકર સંકેત નંબર 10 લગાવવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે અત્યંત ગંભીર ચક્રવાત એમ્ફન નજીક આવે છે.  (એએનઆઈ)

#જુઓ પશ્ચિમ બંગાળ: હાવડાની એક સ્કૂલની છતને આજે વહેલી સવારે પવને ફંગોળી હતી.  #CycloneAmphan


Advertisements 
અપડેટ્સ
  • નેવીએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં 20 બોટ સાથે રેસ્ક્યુ અને મેડીકલ ટીમો તૈયાર રાખી છે.
  • વિશાખાપટ્ટનમમાં આઈએનએસ દેગા અને અરકોણમમાં આઈએનએસ રજાલીમાં નવલ એરક્રાફ્ટને કોઈપણ સ્થિતિમાં તૈયાર રહેવા માટે કહેવાયું છે.
  • પૂર્વી નેવલ કમાન્ડે કહ્યું કે અમે સાયક્લોન દરમિયાન મદદ માટે સંપૂર્ણ તૈયાર છીએ., રાહત માટે નૌસેનાના જહાજને સ્ટેન્ડબાય રખાયા છે.
  • ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.
  • પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જયદીપ ધંખરે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચનાનું પાલન કરવાની અપીલ કરી છે.
  • વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભૂવનેશ્વર-નવી દિલ્હી સ્પેશિયલ એસી ટ્રેનના રૂટને ડાયવર્ટ કરાયો છે.
  • નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડાયરેક્ટર જનરલ એસએન પ્રધાનના જણાવ્યા મુજબ વાવાઝોડા પહેલા ઓરિસ્સામાંથી 1.50 લાખ લોકોને અને પશ્ચિમ બંગાળમાંથી 3.3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. 
  • બાંગ્લાદેશમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારે સાયક્લોનની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીને મોકલી છે.
  • બુધવાર સવાર સુધી ઓરિસ્સાના 13 જિલ્લામાંથી 1 લાખ 19 હજાર 75 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 1704 રાહત છાવણી બનાવાઈ છે. સૌથી વધારે 32 હજાર 60 લોકો કેંદ્રાપારાથી ખસેડાયા છે. ભદ્રકથી 26 હજાર 174 અને બાલાસોરથી 23 હજાર 142 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.















ઓરિસ્સાના ભદ્રકમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો રસ્તા ઉપર પડી ગયા હતા. ફાયર ફાયટર્સના કર્મચારીઓએ વૃક્ષોને હટાવીને વાહન-વ્યવહાર ચાલું કર્યો હતો.મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે. બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હાલ તે ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર દક્ષિણ અને પશ્ચિમ બંગાળના દિઘાથી 720 કિમી દક્ષિણ-પિશ્ચિમમાં તેમજ બાંગ્લાદેશના ખેતપુરાથી 840 કિલોમીટર દક્ષિણ-પિશ્ચિમમાં છે. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનો વિશ્વાસ આપ્યો છે.














તસવીર બાલાસોરની છે, અહીં બુધવાર સવારે 31 કિમીની ઝડપથી પવન ફૂંકાયો હતો.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેઓ રાતભર કંટ્રોલરૂમથી વાવાઝોડા ઉપર નજર રાખશે. અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોને કિનારા વિસ્તારથી ખસેડીને રાહત છાવણીમાં લવાયા છે. બંગાળ સરકારે ગુરુવાર સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રોકવાની માંગ કરી છે. અહીં લોકોને એસએમએસ દ્વારા એલર્ટ મોકલાઈ રહ્યું છે. વિસ્તાર ખાલી કરવા માટે ટાવર સાયરન પણ વગાડાઈ રહ્યા છે.તોફાન મંગળવાર સવારે 8 વાગ્યાથી બપોરના 1 વચ્ચે 14 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું હતું. હાલ તે ઓરિસ્સાના પારાદીપથી 570 કિલોમીટર દક્ષિણ અને પશ્ચિમ બંગાળના દિઘાથી 720 કિમી દક્ષિણ-પિશ્ચિમમાં તેમજ બાંગ્લાદેશના ખેતપુરાથી 840 કિલોમીટર દક્ષિણ-પિશ્ચિમમાં છે. વાવાઝોડાની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાતચીત કરી હતી. તેમણે બન્ને રાજ્યોને કેન્દ્રની મદદનો વિશ્વાસ આપ્યો છે.














પશ્ચિમ બંગાળના દિધામાં સમુદ્રના મોઝા ઉછળ્યા હતા. લોકોને સમુદ્ર કિનારેથી દૂર રહેવાનું કહેવાયું છે.

સુપર સાયક્લોન અમ્ફાનની અસર શરૂ
સુપર સાયક્લોન અમ્ફાન આવતાની સાથે તેની અસર શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના દિધામાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કોલકતામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો

ઓરિસ્સાના 6 અને બંગાળના 7 જિલ્લામાં અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની ઓરિસ્સાના 6 જિલ્લા કેંદ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયૂરભંગ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી વધારે અસર થઈ શકે છે. બંગાળના જિલ્લા પૂર્વી મિદનાપોર, 24 દક્ષિણ અને ઉત્તરી પરગના ઉપરાંત હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકતા ઉપર તેની અસર થશે.














ઓરિસ્સાના ભદ્રકમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો રસ્તા ઉપર પડી ગયા હતા. ફાયર ફાયટર્સના કર્મચારીઓએ વૃક્ષોને હટાવીને વાહન-વ્યવહાર ચાલું કર્યો હતો.

24 ટીમો ટેસ્ટબાય રખાઈ
એનડીઆરએફના ડીજી એસકે પ્રધાને જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની 19 ટીમો બંગાળ અને 15 ટીમો ઓરિસ્સામાં તહેનાત છે. 6 ટીમને એરલિફ્ટ માટે સ્ટેન્ડબાય કરાઈ છે. ફુલ 24 ટીમો સ્ટેન્ડબાય છે. એનડીઆરએફ લોકોને બચાવવાને પ્રાથમિકતા આપી રહી છે. સેના, વાયુસેના, નૌસેના અને કોસ્ટ ગાર્ડની ટીમોને એલર્ટ રાખાઈ છે.
ભારે વરસાદની ચેતવણીહવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે તોફાનની અસર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના, પૂર્વી મિદનાપુર અને ઓરિસ્સાના દરિયાકિનારે ઉપરાંત સિક્કિમમાં વરસાદ પડી શકે છે. બુધવારે ઉત્તર ઓરિસ્સાના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

આ મોટી આફત છે સાવધાન રહો
હવામાન વિભાગનું કહેવું છે કે આ ભારે નુકસાન પહોંચાડનાર કુદરતી આફત છે. જેમાં ભારે પવન, વરસાદ અને વીજળી પડી શકે છે. લોકો ઘરની બહાર ન નિકળે. સમુદ્ર કિનારાથી દૂર રહે. માછીમારી ન કરે. પાવર લાઈનને નુકસાન થઈ શકે છે. રોડ અને રેલવે નેટવર્ક બંધ કરવામાં આવે અથવા ડાયવર્ટ કરવામાં આવે.
ઘણાં જિલ્લામાં કંટ્રોલ રૂમ

સ્થિતિની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળના ઘણાં જિલ્લામાં 24 કલાક કામ કરી શકે તેવા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. કોલકાતાના અરણ્ય ભવનમાં એક સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કોલકાતા પોલીસની દરેક ક્ષણ પર નજર છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા ડોપ્લર વેધર રડારની મદદથી સાઈક્લોન પર નજર રાખવામાં આવી રહી છે.
21 વર્ષ પછી આવી રહ્યું છે સુપર સાઈક્લોન
દેશમાં 21 વર્ષ પછી કોઈ સુપર સાઈક્લોન આવી રહ્યું છે. 1999માં એક ચક્રવાત ઓરિસ્સા તટ સાથે અથડાયું હતું. તેને સાઈક્લોન ઓ5 બી અથવા પારાદીપ સાઈક્લોન નામ આપવામાં આવ્યું હતું. તે જ્યારે ઉત્તર હિંદ મહાસાગરમાં આવ્યું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી ચક્રવાત માનવામાં આવે છે.
B B K NEWS
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો