વડાપ્રધાન દ્વારા ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા કરેલી અપીલ સંદર્ભે પ્રજાજોગ જરૂરી જાણકારી

વડાપ્રધાન  દ્વારા ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા કરેલી અપીલ સંદર્ભે
 પ્રજાજોગ જરૂરી જાણકારી
Ⓜ️વડાપ્રધાન  દ્વારા ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા કરેલી અપીલ સંદર્ભે
 પ્રજાજોગ જરૂરી જાણકારી

Ⓜ️સ્ટ્રીટ લાઇટ, આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો જેવા કે, ટી.વી., ફ્રીઝ અને એરકન્ડીશનરને બંધ કરવા માટે અપીલ કરવામાં આવેલ નથી.
Advertisements 
 રાજપીપળા: વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ  ના સંક્રમણ સંદર્ભે દેશના વડાપ્રધાને  તા. ૫ મી એપ્રીલ,૨૦૨૦ ને રવિવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે કરેલી અપીલ સંદર્ભે પ્રજાજનોને જણાવવાનું કે, આ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો જેવા કે, ટી.વી., ફ્રીઝ અને એરકન્ડીશનરને બંધ કરવા માટે અપીલ કરવામાં આવેલ નથી.

વોલ્ટેજ અને ફ્રીકવન્સીના વેરીએશન હેન્ડલ કરવા માટે તમામ તૈયારીઓ તંત્ર ધ્વારા થઇ ગયેલ છે, તેથી નાગરિકો આ બાબતે ચિંતામુકત રહે અને બધા વીજ ઉપકરણો યથાવત સ્થિતિમાં સામાન્યતઃ સતત વપરાશ કરતા રહે તેવી વ્યવસ્થા થયેલ છે. તેમજ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓએ કાયદો અને વ્યવસ્થા માટે સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી. હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઇટ ચાલુ રહેશે, તેમ નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી જણાવાયું છે.

રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપલા
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

સાયક્લોન અમ્ફાન / પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત: CM મમતા બેનર્જીએ કહ્યું- આવી તબાહી નથી જોઈ; PM મોદીએ કહ્યું- મદદમાં કસર નહીં છોડીએ

કોરોના ગુજરાત LIVE / 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 515 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 905 થયો